રવિવાર, 16 ઑક્ટોબર, 2016

.ગાગરમાં સાગર

clip

કુડન્કુલમ અણુમથકના વધુ બે એકમનું કામ હાથ ધરાશે
બેનૌલિમ (ગોવા): ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને કુડન્કુલમ અણુમથક ક્રમાંક બેને શનિવારે રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું તેમ જ એકમ ક્રમાંક ત્રણ અને એકમ ક્રમાંક ચારના શિલાન્યાસના સાક્ષી બન્યા હતા.

બન્ને દેશે અણુ ક્ષેત્રે સહકાર વધુ વ્યાપક બનાવવાનો નિર્ણય લીધો હતો. કુડન્કુલમ અણુમથકનું બીજા ક્રમનું એકમ ૧,૦૦૦ મેગાવૉટ વીજળી પેદા કરશે અને બાકીના નવા બે એકમની ક્ષમતા પણ એટલી જ હશે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની મંત્રણા બાદ બહાર પાડવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે રશિયા અણુસાધન-સામગ્રી અને ટેક્નૉલૉજીનો પુરવઠો પૂરો પાડતા દેશોના સંગઠન (ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ)માં ભારતના વહેલા પ્રવેશ માટેના પગલાને ટેકો આપે છે.

તેણે જણાવ્યું હતું કે બેલિસ્ટિક મિસાઇલનો ફેલાવો રોકવા માટે હૉગ ખાતે નક્કી થયેલી આચારસંહિતા અને મિસાઇલ ટેક્નૉલૉજીના નિયંત્રણ માટેની યંત્રણામાં ભારતના સમાવેશને પણ રશિયાએ આવકાર આપ્યો હતો.

સંયુક્ત નિવેદનમાં જણાવાયું હતું કે કુડન્કુલમ અણુમથકના ક્રમ પાંચ અને ક્રમ છના એકમોના જનરલ ફ્રેમવર્ક એગ્રીમેન્ટ અને ક્રેડિટ પ્રૉટૉકૉલને લગતા દસ્તાવેજને ૨૦૧૬ના અંતની પહેલાં અંતિમ સ્વરૂપ અપાશે.

મોદી અને પુ

તિને વીડિયો કોન્ફરન્સિંગની મદદથી કુડન્કુલમ અણુમથક ક્રમાંક બે રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું.

કુડન્કુલમ અણુમથકનું પહેલું એકમ દસમી ઑગસ્ટે રાષ્ટ્રને સમર્પિત કરાયું હતું.

મોદી અને પુતિને તેના કાર્યક્રમમાં પણ વીડિયો કોન્ફરન્સિંગથી ભાગ લીધો હતો.(એજન્સી)


કાશ્મીર ખીણમાં ત્રણ માસની હિંસા બાદ જનજીવન થાળે: કરફ્યુ ઉઠાવાયો
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં ૮મી જુલાઈએ હિઝબુલ મુજાહિદીનના આતંકવાદી બૂરહાન વાનીનું ઢીમ ઢાળવામાં આવ્યા બાદ આરંભાયેલી હિંસા અને અશાંતિની જનજીવન પર ભારે માઠી અસર પડી હતી, પરંતુ પરિસ્થિતિમાં થોડોક સુધારો દેખાતાં સત્તાવાળાઓએ ૧૫મી ઓક્ટોબરે સમગ્ર કાશ્મીરમાંથી સંચારબંધી હટાવી લીધી છે.

એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે કાશ્મીરમાં ક્યાંય સંચારબંધી નથી. કાશ્મીર ખીણ વિસ્તારમાં લોકોની આવન-જાવન પર પાબંદી લાગતો કરફ્યૂ શનિવારે હટી જતાં સ્થાનિકોએ નિરાંતનો શ્ર્વાસ લીધો છે. પરિસ્થિતિમાં સુધારો થતાં જમ્મુ-કાશ્મીરની ગ્રીષ્મઋતુની રાજધાની સહિત સમગ્ર ખીણ વિસ્તારમાંથી સંચારબંધી હટાવી લેવામાં આવી છે. 

તેમ છતાં પણ સમગ્ર કાશ્મીર ખીણ વિસ્તારમાં સીઆરપીસીની કલમ ૧૪૪ અંતર્ગત લોકોના એકઠા થવા પર પાબંદી યથાવત છે. 

કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સંવેદનશીલ વિસ્તારમાં સુરક્ષા દળો તહેનાત કરાયા છે. આથી જનતાને રોજિંદી કામગીરી કરવામાં કોઈ ભય કે ઉચાટ ન રહે. 

આ ઉપરાંત સત્તાવાળાઓએ આશરે ત્રણ માસ બાદ શુક્રવારે રાત્રે પ્રી-પેઈડ મોબાઈલ ફોન જોડાણ પર ફોન જોડવાની આઉટગોઈંગ કોલ સેવા પુન: આરંભી છે. તેમ છતાં પણ સમગ્ર કાશ્મીરમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા સ્થગિત થયેલી હતી. 

દરમિયાન કાશ્મીર ખીણ વિસ્તારમાં અશાંતિ અને આંદોલનને લીધે ૯૯મા દિને પણ સામાન્ય જીવન પર માઠી અસર પડી હતી. 

વાનીના મૃત્યુ બાદ ઉક્ત આંદોલનમાં ત્રણ માસમાં ૮૪ જણનાં મોત નીપજ્યાં છે. આ ઉપરાંત દેખાવકારો અને સુરક્ષા દળો વચ્ચેની ચડભડમાં હજારો લોકોને ઈજા પહોંચી છે. હજી માર્ગો પર જાહેર પરિવહન અને વાહનોની આવન-જાવન પૂર્વવત જોઈ શકાતી નથી. 

જોકે વ્યાવસાયિક પ્રવૃત્તિઓના કેન્દ્ર સમાન લાલ ચોક તથા સિવિલ લાઈન્સ વિસ્તારની આસપાસ ખાનગી ટ્રાન્સપોર્ટ, વાહનો તેમ જ રિક્ષાવાળાની હલચલ પૂર્વવત હતી. હવે ફેરિયાઓ પણ બેઠા હતા તેમ જ કેટલીક દુકાનો આંશિકપણે ખુલ્લી હતી, એમ આ અધિકારીએ ઉમેર્યું હતું. (એેજન્સી) 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

શાસન નિર્ણય

શાસન નિર્ણય

Most Popular